Wednesday 31 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જિંદગી જ્યારે હોઠ ન ખોલે, મૃત્યુ ત્યારે ભેદ ખોલે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જિંદગી જ્યારે હોઠ ન ખોલે, મૃત્યુ ત્યારે ભેદ ખોલે!
ડૉ. શરદ ઠાકર


પછીનું વર્ણન એ મહિલાએ એનાં સ્ટેટમેન્ટમાં પોલીસની સમક્ષ પણ એ જ શબ્દોમાં રજૂ કરી દીધું, 'અલગ-અલગ સોફામાં બંનેની લાશો પડેલી હતી. ફર્શ પર, સોફાની ગાદી પર, સામેની દીવાલ પર જ્યાં જુઓ ત્યાં લોહી જ લોહી હતું. હત્યારાએ હત્યા કરી દીધા પછી શું કર્યું હશે એ વિશે મને કંઈ ખબર નથી, પણ એટલું કહી શકું કે મરનાર વિનુકાકા અને લાભુકાકી ખૂબ ભલા, પ્રેમાળ અને મળતાવડાં માણસો હતાં. આખી સોસાયટીમાં કોઈની સાથે એમને દુશ્મનાવટ ન હતી. બંને આ ફ્લેટમાં એકલાં જ રહેતાં હતાં. એમને કોઈ સંતાન ન હતું. એમનાં દૂરનાં સગાંઓમાંથી ક્યારેક કોઈ આવીને એમનાં ખબરઅંતર પૂછી જતું હતું. અમે તો વિચારી પણ શકતાં નથી કે આવાં ઘરડાં પતિ-પત્નીનું કોઈ ખૂન કરી શકે!'

એ પછી બંને મૃતદેહોની ચીરફાડ શરૂ થઈ. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા એવી ક્રૂર હોય છે, જેને જોઈને ભલભલા કઠણ દિલના માનવીઓ પણ કંપી ઊઠે. ડૉ. પટેલ એક-એક વિગત રિપોર્ટમાં ટપકાવતા ગયા. બંને મૃતદેહોમાંથી કેટલાંક અંગો લેબોરેટરી તપાસ માટે લઈ લીધાં. ક્યાંક એવું ન બન્યું હોય કે હત્યારાએ કોઈ નશીલો કે ઝેરી પદાર્થ કે પીણું વિનુભાઈ અને લાભુબહેનને આપીને પછી હથિયારના ઘા ઝીંક્યા હોય! ત્યારે એ શક્યતા પણ ચકાસવી પડે કે મૃત્યુ પેલા ઝેરથી તો નથી થયું ને? હોજરીમાં પડેલા અન્ન પરથી એ પણ જાણી શકાય કે હત્યા કેટલા વાગ્યે થઈ હોવી જોઈએ. ભોજન લીધા પછી કે પહેલાં? જો ખાધેલું અન્ન હોજરીને બદલે નાનાં આંતરાડામાંથી મળે તો ભોજનના સમય પછી થોડાક કલાકો બાદ હત્યા કરવામાં આવી હશે, એવું તારણ કાઢી શકાય.

'એક શા માટે? બે સૂચનો કરું છું.' ડૉ. પટેલના અવાજમાં આત્મવિશ્વાસ છલકાતો હતો, 'એક, કાતિલ પરિવારમાંથી જ કોઈક છે. એટલે જ ધોળે દિવસે એના આવવા-જવાની કોઈએ નોંધ લીધી નથી. બીજું, લૂંટફાટનું દૃશ્ય ફક્ત નાટક છે. ઊભું કરવામાં આવેલું છે. હત્યા પાછળનો મૂળ મકસદ કશોક બીજો જ છે. ત્રીજું સૂચન કર્યું? ઘરની અંદર જેટલી કાતરો મળી આવે તે બધીને કોરેન્સિક લેબમાં મોકલી આપો, ભલે પાણી વડે ધોઈ નાખેલી હશે તો પણ કોઈ એક કાતરના સાંધામાં કે ક્યાંક બ્લડના કણો પકડાઈ જશે.'
'થેંક્યૂ ડૉક્ટર. આટલું તો પૂરતું છે. બાકીનું કામ અમે પોલીસવાળા પૂરું કરી નાખીશું.' ઈ. પ્રભાકરે કહ્યું અને તરત જ એમણે શોધખોળ ચાલુ કરી દીધી. ચોવીસ કલાકમાં કાતિલ ઝડપાઈ ગયો. મૃતકોનો સગો ભત્રીજો વિકાસ હતો. ચોક્કસ જગ્યા પર ચાર-પાંચ દંડા પડ્યા એટલે વિકાસને વાણી ફૂટી, 'મારો નહીં, સાહેબ. હું બધું જ કહી દઉં છું. કાકા-કાકીને મેં જ માર્યાં...'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os6mi8B4rNDGFGSP0kHTQFDgoeNWbr_r_%2B0%2BqDJfAQTeg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment