Wednesday 28 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૈં તુલસી તેરે આંગન કી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૈં તુલસી તેરે આંગન કી...
સ્વાસ્થ્ય સુધા-અનંત મામતોરા

 

 


દેવઊઠી અગિયારસે તુલસીનો વિવાહ ધામધૂમથી વિષ્ણુ જોડે કરવામાં આવે છે. દેવદિવાળી સુધી આ ઉત્સવનો માહોલ રહે છે. આ વિવાહ અંગે શાસ્ત્રમાં આવતી જલંધર નામના રાક્ષસના મૃત્યુ માટે વિષ્ણુ ભગવાને તેની પત્ની વૃંદાના પતિવ્રતાપણા (સતીત્વ)નો ભંગ કર્યો હતો, તેની કથાથી તો આપ સૌ સુપરિચિત છો. આ વાર્તાના પ્રતીકરૂપ પાત્રો આજના જમાનામાં પણ એટલાં જ સુસંગત રહેલાં છે, જેમ કે એ સમયમાં જલંધર નામનો પાણીમાંથી પેદા થયેલો રાક્ષસ હતો અને વિષ્ણુએ તુલસી (વૃંદા)નું સેવન કરીને તેને માર્યો હતો. આ જ રીતે જળપ્રધાન રોગો જેવા કે શરદી, સળેખમ, ખાંસી, ક્ષય વગેરે આધુનિક રાક્ષસોને તેમ જ ભેજને કારણે ઉત્પન્ન થતા ડેન્ગ્યૂ કે ચિકનગુનિયા કે મલેરિયા ફેલાવતા મચ્છરરૂપી અસુરોનો પણ તુલસીના સેવન અને સાંનિધ્યથી સફાયો કરી શકાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તુલસી આ કામ કેવી રીતે પાર પાડે છે તે આપણે જોઈએ.


તુલસીને આયુર્વેદમાં કફ-વાયુનાશક તરીકે ઓળખાવી છે. તુલસીમાં ફેનોલ નામનું તત્ત્વ આવેલું છે, જે ક્ષયનાશક છે. આધુનિક દવા સ્ટ્રેપ્ટોમાઈસિન કરતાં દશમાં ભાગની અને આઈસોનિયેઝિડ કરતાં ચોથા ભાગની ક્ષયનાશકશક્તિ તુલસી ધરાવે છે. તુલસીમાં એસ્કાર્બિક ઍસિડ આવેલો છે, જે શરીરમાં રહેલા જળતત્ત્વ કે કફને શોષી લઈ શરદી કે ખાંસીનો નાશ કરે છે અને સાથે તે શરીરને વધુ પડતી ઠંડીની કુઅસરથી બચાવે છે. તુલસી કફ ઉપરાંત વાયુનાશક છે, તેના પાનને પાણીમાં નાખી તે પાણીની વરાળ લેવાથી માથાનો દુખાવો તેમ જ સાંધાના દુખાવા પણ મટે છે. આ ઉપરાંત તુલસીમાં રહેલો એસ્કાર્બિક ઍસિડ વાતાવરણમાં રહેલા ભેજને પણ શોષી લે છે. મચ્છરોને ઉછરવા માટે ભીનું ભેજયુક્ત વાતાવરણ જ જોઈએ. આથી જ મચ્છરો ચોમાસામાં ભરાઈ રહેલાં પાણી કે ભેજયુક્ત સ્થળોએ ઈંડા મૂકીને સૌથી વધુ ફેલાવો કરે છે. તુલસી જે ભેજ શોષીને આજુબાજુના વાતાવરણને સૂકું રાખે છે, તેનાથી મચ્છરો જોજન દૂર ભાગે છે અને વાતાવરણ મચ્છરરહિત બને છે. તુલસીની ત્રણ-ચાર જાત છે. એમાંથી કાળી તુલસી કે જેમાં ઍસિડ અને અગ્નિતત્ત્વ વધારે હોઈ, તે કાળી દેખાય છે. તે વાતાવરણ તેમ જ શરીરને જલદી અને વધુ પ્રમાણમાં ભેજરહિત બનાવે છે. શ્રીકૃષ્ણે આ તુલસીને જ પસંદ કરી હતી. તેથી તુલસી શ્યામતુલસી તરીકે પણ ઓળખાય છે. શહેરમાં ઘણા બાગ-બગીચા આવેલા છે, જેમાં અનેક વિદેશી છોડવાને વધુ રૂપિયા ખર્ચીને પણ ઉગાડેલા જોવા મળે છે. અનેક રંગબેરંગી ફૂલના છોડ તેમ જ ભાતભાતના અને જાતજાતના છોડથી બગીચાને કળાત્મક રીતે સજાવી દેવામાં આવે છે, પરંતુ શરીર અને વાતાવરણને શુદ્ધતાથી ભરી દેતી તુલસીના છોડને બગીચાઓમાં સ્થાન હજુ મળી શક્યું નથી. દરિયાકિનારે આવેલી ભેજયુક્ત મહાનગરી મુંબઈમાં જાહેર સ્થાનની સજાવટ કરતા છોડવામાં તેમ જ બાગ-બગીચાઓમાં સૌથી વધુ પ્રમાણમાં તુલસીના છોડ વાવવા જોઈએ. ચિકનગુનિયા, ડેન્ગ્યૂ કે મલેરિયાના મચ્છર જ્યારે હદ વટાવે છે ત્યારે અખબારોમાં મોટી સરકારી જાહેરખબરો આવી જાય છે કે પાણીની ટાંકી સાફ રાખવી, આસપાસમાં પાણી જમા ન થવા દેવું, વાતાવરણ ભેજરહિત રાખવું, પરંતુ વિના ખર્ચે વાતાવરણને ભેજમુક્ત અને મચ્છરમુક્ત રાખતી તુલસી ઉગાડવાની કોઈ તસ્દી લેતું નથી. એક પ્રસિદ્ધ રાજવૈધના જણાવ્યા પ્રમાણે તુલસીના સ્પર્શથી આજુબાજુનું વાયુમંડળ પણ શુદ્ધ થાય છે અને વિષાણુઓ પણ નાશ પામે છે. આમ, તુલસીના સેવનથી રોગો તો મટે જ છે, એટલું જ નહીં, પણ તેનાં પાન અને મંજરી પર થઈને આવતો વાયુ શ્ર્વાસ વાટે શરીરમાં જઈ ફેફસાંને નવું બળ આપે છે તેમ જ તન અને મનને સ્ફુર્તિ આપે છે. તાજેતરના સંશોધન પ્રમાણે ચિક્નગુનિયાની કોઈ એલોપથી દવા જ નથી, પણ આયુર્વેદની દૃષ્ટિએ ચિકનગુનિયા એ કફ-વાયુના પ્રકોપથી ઉત્પન્ન થતો તાવ છે અને જેમાં સાંધામાં દુખાવો થાય છે અને સોજા પણ આવી જાય છે. કફ-વાયુનાશક તુલસી તાવનો નાશ કરનારી, સોજાને દૂર કરનારી તેમ જ સાંધાનો દુખાવો મટાડનારી થ્રી-ઈન-વન ઔષધિ છે. તુલસીનાં પાનનો રસ, ત્રણ-ચાર કાળા મરીનો ભૂકો મધમાં ભેળવીને નિયમિત પીવાથી ચિકનગુનિયા થતો નથી અને થયેલો હોય તો મટી જાય છે.


આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની વૃત્તિ આપણા ઋષિ-મુનિઓમાં ન હતી, પણ પાણી પહેલાં જ પાળ બાંધી લેવાની અગમચેતી તેમનામાં જરૂર હતી. શિયાળામાં તમારું લોહી પીવા મચ્છરો રાત્રે ઘરમાં ઘૂસી જાય તે પહેલાં તમે તુલસીના પાનનું સેવન શરૂ કરી દો. વધુમાં વધુ તુલસીના છોડ ઘરે ઉગાડો. સમગ્ર ઠંડીની ઋતુમાં તમે તુલસીનું સેવન કરી શરીર અને મનને આરોગ્ય અને સ્ફુર્તિથી હર્યુંભર્યું તો રાખી શકશો જ, પણ વાયુમંડળના શુદ્ધિકરણમાં પણ નિમિત્ત બની શકશો.


ભગવાનને ધરાવતા ભોજનના થાળમાં પણ તુલસીના ત્રણ-ચાર પાન મૂકવામાં આવે છે, જે ભોજનને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. આ વાત પણ તદ્દન યોગ્ય જ છે, કારણ કે તુલસી વિષનાશક પણ છે, જેથી ભોજન સમયે જો તેનાં ત્રણ-ચાર પાન ખાધા પછી ભોજન કરવાથી ભોજનમાં રહેલી અશુદ્ધિઓથી શરીરમાં ઉત્પન્ન થતાં વિષદ્રવ્યોને તુલસી દૂર કરે છે.


ભાગવતમાં એક પ્રસંગ છે જેમાં કૃષ્ણના વજન જેટલાં જ સોનાનાં ઘરેણાથી તોલી તે સોનાનું દાન આપવાનું હોય છે. મહેલના ભંડારમાં રહેલાં ઘરેણાં તેમ જ રુક્મિણીના શરીર પરના તમામ ઘરેણાથી પણ શ્રીકૃષ્ણ તોળાતા નથી, પણ જ્યારે એક તુલસીના પાનમાત્રથી જ શ્રીકૃષ્ણ તોળાઈ જાય છે. તાર્કિક દૃષ્ટિએ આ વાત ગળે ઊતરે તેવી નથી, પરંતુ ગહન વિચાર કરતાં તેમાં રહેલો ગૂઢ મર્મ સમજાય છે કે સોના-ચાંદીના કીમતી ખજાના સામે પણ તન-મનને સ્વસ્થ કરનારી તુલસીનું મૂલ્ય અનેકગણું છે. વેલ્થની સામે હેલ્થનું પલડું હંમેશાં ભારે રહે છે એ આ પ્રસંગના પ્રતીકરૂપે ભગવાન શ્રીકૃષ્ણે બતાવી દીધું છે. શિયાળામાં તુલસીનું નિયમિત સેવન કરો. પછી જુઓ કે તમારા શરીરના બજારમાં આખું વર્ષ કેવી આખલા જેવી તેજી રહે છે, તો મમળાઓ 'તુલસી'ની થોડીક 'ટિપ્સ'.


ક તુલસીનો રસ અને આદુંનો રસ નાકમાં ટીપા પાડવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.


ક તુલસીનાં ચાર-પાંચ પાન અને સંચળ ૨ ગ્રામ દહીંમાં મેળવી ખાવાથી ઝાડા અને મરડો મટે છે.


ક સવારે સ્નાન બાદ તુલસીનાં પાંચ પાન પાણી સાથે લેવાથી યાદશક્તિ વધે છે.


ક કાળી તુલસીનાં ૧૦૦ પાન લઈ વાટીને દૂધ મેળવતી વખતે નાખી દેવા પછી દહીં મળી જાય ત્યારે તેમાં મધ ભેળવી દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવાથી કૅન્સર મટે છે.


ક તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસિડિટી મટે છે.


ક કાળી તુલસી ૧૦ પાન, લીલી હળદર ૫૦ ગ્રામ, બીલીપત્ર ૩૦ પાન, ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવવા. સવારે ખૂબ મસળી, ગાળીને નરણે કોઠે પીવું. પછી ૧ કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહીં. લગભગ ૨૧ દિવસ આ પ્રમાણે કરવાથી શરૂઆતનો ડાયાબિટીસ મટે છે.


ક તુલસીનાં પાનનો રસ એક ચમચી પાણી સાથે લેવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.


ક તુલસીનાં પાનના ઉકાળાના કોગળા નિત્ય કરવાથી દાંત-પેઢાં મજબૂત થાય છે.


ક તુલસીનાં પાનનો રસ ૫-૬ ટીપાં પાણીમાં નાખીને બાળકને પીવડાવવાથી તેનાં હાડકાં મજબૂત થાય છે અને જલદી ચાલતાં શીખે છે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuiziqwTmp9GfN4prow_RZpCw%2B_-XRHWPvZZzqrg12W3A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment