આખું વરસ દેશભરમાં નોનવેજ વાનગીઓ પીરસતી લાખો રેસ્ટોરાં અને લારીઓ માટે લાખો મરઘાં, બકરાં કપાય છે, સી ફૂડ ફેસ્ટિવલ્સમાં નાનાં-મોટાં અનેક જળચર પ્રેમથી ખવાઈ જાય છે. ફિશિંગ એટલે કે માછલી પકડવાની પ્રવૃત્તિને ઘણા સ્પોર્ટ્સ ગણે છે, એની સામે ઝંડા નથી ઉપાડતા, તો એક દિવસ અમુક મુસ્લિમો ધાર્મિક માન્યતા અનુસાર બકરી કાપે, એ જ શું કામ અમુક લોકોને નથી ગમતું? માઇન્ડ યુ, હું શાકાહારી છું(જોકે, દૂધ પીઉં છું એટલે ખુદને શુદ્ધ શાકાહારી કહેવાની ગુસ્તાખી નહીં કરું). એનીવે, ભગવાનને પૈસા ધરવાની વાત પાર પાછા ફરીએ? એની સાથે કોઈ ધાર્મિકતા સંકળાયેલી છે? ગણેશોત્સવ વખતે લોકોના ઘેર જાઉં ત્યારે ગણપતિની મૂર્તિ પર ગુલાલ, ચોખા, ફૂલ ચઢાવીને પૂજા કરી લઉં, પ્રસાદ પણ ખાઈ લઉં, પરંતુ પૈસા નથી મૂકતી. આ ખરાબ કહેવાય? આર્થિક સ્થિતિ સાવ સાધારણ હોય તોય એ લોકો ક્યારેય અંગત ખર્ચ માટે આ પૈસા નથી વાપરતા. પૂજારીને આપી દે છે અથવા તો ક્યાંય દાન-પુણ્યમાં વાપરી નાખે. આવા સંજોગોમાં કોઈ એમને ત્યાં પધારેલા બાપ્પાને ચરણે પૈસા ધરવાનું ટાળે તો યજમાનને ગુસ્સો ભલે ન આવે, પણ વિચિત્ર લાગે એવું બને? એકેય પૈસો ધર્યા વિના ડબલ પ્રસાદ ખાઈ લેતી મારા જેવી વ્યક્તિને પીઠ પાછળ કંજૂસનું લેબલ મળતું હશે? અને સહુથી મહત્ત્વનો પ્રશ્ન ભગવાન ખરેખર હોય તો આ જોઈને એ મારા વિશે શું વિચારતા હશે? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ouqgi9_jhNe30togV_NFS%3DZOkHYYtChXMV-PxNSgtptjw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment