Monday 30 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડિબેટ એટલે રાષ્ટ્રહિતના ભોગે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ન્યૂઝ ચેનલો પર ચાલતી ડિબેટ એટલે રાષ્ટ્રહિતના ભોગે ટીઆરપીનું કમઠાણ!
રિવર્સ સ્વીપ-નીલેશ દવે

 

 

જ્યારથી ભારતમાં ન્યૂઝ ચેનલો શરૂ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તમે ક્યારેય કોઈ પણ ડિબેટમાં કોઈ સારી વાત જોઈ? બે કે ત્રણ વિવિધ આઇડિયોલોજી ધરાવતા પક્ષના પ્રતિનિધિઓને સામસામે બેસાડીને જે રીતે સંવાદ કરાય છે તેમાં તમે ક્યારેય કોઈ સારી વાત જોઈ, કોઈ સંઘભાવના, કોઈ પણ દેશહિતની વાત કે જનસામાન્યને જેનાથી ફાયદો થઈ શકતો હોય તેવી કોઈ પણ વાત તમે આજ સુધી સાંભળી કે જોઈ છે? મારા ધ્યાનમાં નથી. વિશ્ર્વના તમામ દેશોમાં કોઈને કોઈ સમસ્યા છે જ. ક્યાંય પણ કોઈ પણ દેશ પૂર્ણ નથી જ. સહુને પોતપોતાની સમસ્યાઓ છે, પરંતુ આપણા દેશમાં જ એવી પ્રથા છે કે કોઈ પણ એક ઘટના પછી ભલેને તે મોબ લીન્ંિચગ હોય, ગૌરક્ષકો દ્વારા થતાં તોફાન હોય કે કોઈ એકાદ રાજ્યના નાના ગામમાં થયેલી કોઈ છેડી, બળાત્કાર, કે લઘુમતીઓની સતામણીની ઘટના હોય. ભારતની તમામ ન્યૂઝ ચેનલો ખરેખર ઊતરી પડતી હોય છે.

 

હકારાત્મક સમાચારો પ્રત્યે આ ન્યૂઝ ચેનલોને સૂગ છે. આવી ચેનલો માત્ર આવી ખબરોમાં સનસનાટી નથી ફેલાવતી, પરંતુ સાથે સાથે આવા વિષય પર ડિબેટ યોજીને એક નાની અમથી ઘટનાને મોટું સ્વરૂપ આપવાની કોશિશ કરે છે અને રાજકીય પક્ષોને પણ આ જ જોઈએ છે. કોઈ ને પણ વિકાસની વાત નથી કરવી દેશને આગળ કેમ લઈ જવો તે વાત નથી કરવી, અને એમાંય જો આવી ઘટનાઓમાં આરોપી હિન્દુ હોય અને ફરિયાદી લઘુમતીઓનો હોય તો આવી ચેનલોને તડાકો પડી જાય છે.

 

આની એક સાબિતી હું તમને આપું તો ૨૦૦૮માં જ્યારે મુંબઈ પર હુમલો થયો હતો અને ત્રાસવાદીઓ તાજ હોટેલમાંથી બહાર ગોળીબાર કરી રહ્યા ત્યારે મારી સાથે પ્રિન્ટ મીડિયા સહિત ઈલેક્ટ્રોનિક મીડિયા પત્રકારો પણ આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહ્યા હતા. અમારી નજરની સામે જ તાજ હોટેલની સામે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બેરિકેડ લગાડવામાં આવ્યા હતા અને ત્યાંથી મીડિયાકર્મીઓને રિપોર્ટિંગ કરવાની છૂટ આપવામાં આવી હતી ત્યાં જ કેટલીક ચેનલોના પત્રકારો રીતસર જાણે તેમના પર ગોળીબાર થઈ રહ્યો હોય તેવી એક્ટિંગ સાથે લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. વાસ્તવમાં જો તાજમાંથી ગોળીબાર થાય તો પણ તે બુલેટ ગેટ વે ઓફ ઇન્ડિયા સુધી પહોંચી શકે તેમ ન હતી. તેમ છતાં ચેનલોના પત્રકારો વચ્ચે જાણે યુદ્ધની વચ્ચે રિપોર્ટિંગ કરતા હોય તેવો માહોલ ખડો કરવામાં રીતસરની હોડ લાગી હતી. આવું જ કંઈક આ વખતે મરાઠા આંદોલનના સમયે પણ થયું હતું. આની સામે કેટલીક સારી ઘટનાઓ પણ થતી હોય છે, પરંતુ એની ટીઆરપી ન હોવાથી વધુ સમય ફાળવવામાં આવતો નથી. કોઈ પણ ચેનલે હજુ સુધી હાલમાં જ એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતનારી હીમા દાસને પોતાના સ્ટુડિયોમાં બોલાવી હોય, તેની સાથે બીજા રમતવીરોને બોલાવીને કેવી રીતે વધુ રમતવીરો પેદા કરી શકાય તેવી ડિબેટ કરી હોવાનું યાદ નથી. ખરેખર કહું તો આ જ મીડિયાએ જેટલી પ્રસિદ્ધિ સંજુ (સંજય દત્તની બાયોપિક, જો કે સાચી છે કે ખોટી કે સંજુને રોબિનહુડ બનાવતી એ રામ જાણે)ને આપી છે તેટલી ભૂતકાળમાં ક્યારેય સુભાષચંદ્ર બોઝ, સરદાર, કે ભગતસિંહની ફિલ્મોને આપી છે? ક્યારેય નહીં? આ ટીઆરપીનો ખેલ છે, રાષ્ટ્રનું તો રાષ્ટ્ર જોઈ લેશે!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuhPb88TiiEtpw3KpWD5rMXtqAQD7s8gfZEnm7ZB%3DtfOg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment