Monday, 25 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુવાન વયે કયાં કારણોસર થઈ શકે છે સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુવાન વયે કયાં કારણોસર થઈ શકે છે સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ?
જિગીષા જૈન

 

 

 


સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ એટલે ગરદનનાં હાડકાં ઘસાઈ રહ્યાં છે. ઉંમરને કારણે મોટા ભાગે હાડકાં ઘસાતાં હોય અને એટલે જ મોટા ભાગે પચાસ વર્ષની ઉંમર પછી જ આ રોગ આવતો હોય છે. જોકે આજકાલ તો ૩૦-૩૫ વર્ષની નાની વયે પણ લોકોમાં આ રોગનાં ચિહ્નો દેખાય છે. જાણીએ આજે કયાં કારણોસર યુવાન વયે હાડકાં ઘસાવાનાં શરૂ થઈને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ જેવા રોગો થઈ રહ્યા છે


અંધેરીમાં રહેતી ૩૨ વર્ષની એક હાઉસમેકરને છેલ્લાં ૬-૭ વર્ષ પહેલાં પીઠનો સામાન્ય દુખાવો શરૂ થયો. શરૂઆતમાં દુખાવો રાત્રે જ વધુ થતો અને તે ઊંઘ ખેંચી કાઢે એટલે સવારે બધું ઠીક થઈ જતું. દુખાવો ક્યારેક થતો અને ક્યારેક એની મેળે જતો રહેતો એટલે એને અવગણવાનું સહજ હતું. બે-ત્રર વર્ષ પછી તેને આ દુખાવો સતત રહેવા લાગ્યો. પરંતુ દુખાવો સહન કરવાની આદત પડી ગઈ હોવાથી જો એ અતિશય વધી જાય ત્યારે જ તેનું એ તરફ ધ્યાન જતું, બાકી તો એ ચાલ્યા કરતું. વચ્ચે-વચ્ચે ક્યારેક તે ફિઝિયોથેરપી લઈ આવતી તો ક્યારેક વચ્ચે-વચ્ચે યોગ કરે ત્યારે તેને રાહત લાગતી. હવે આ દુખાવો એટલો વધ્યો કે રાત્રે દુખાવાને કારણે તેની ઊંઘ ઊડી જતી અને પછી તે સૂઈ જ ન શકતી. આવું સતત ૪-૫ દિવસ થયું એટલે તેણે ફિઝિયોથેરપી લીધી અને ડૉક્ટરને પણ બતાવવા ગઈ. ડૉક્ટરે તપાસીને કહ્યું, તમને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ છે. આ રોગમાં કરોડરજ્જુનાં હાડકાં ઉંમરને કારણે ઘસાય છે એટલે આ તકલીફ ઊભી થાય છે. ૩૨ વર્ષે હાડકાં ઘસાવાં લાગ્યાં? એ કઈ રીતે શક્ય છે? ડૉક્ટરે કહ્યું, શક્ય છે. આજકાલ એ સામાન્ય થતું જાય છે. વૃદ્ધોમાં જોવા મળતો આ રોગ આજકાલ યુવાનોમાં સામાન્ય થઈ રહ્યો છે. આજે સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ નાની ઉંમરે થવાનાં કારણોને સમજીએ.


ઝૂકેલી ગરદન
આપના સૂવાનાં, બેસવાનાં ને ચાલવાનાં પૉશ્ચર નિશ્ચિત હોય છે. કરોડરજ્જુને હંમેશાં સીધી રાખવી જરૂરી છે, કારણ કે એ આ જ પોઝિશનમાં બેસ્ટ રીતે રહી શકે છે. જે જગ્યાએથી એ વળે અને વળેલી જ રહે એ જગ્યાએ એ મણકાઓ અને ગાદી પર બિનજરૂરી સ્ટ્રેસ આવે છે. જ્યારે એ વધુપડતું થાય ત્યારે તકલીફ શરૂ થઈ જતી હોય છે. આજકાલ લગભગ ૧૦માંથી ૮ લોકોને પૉશ્ચર સંબંધિત તકલીફો દેખાય જ છે. એ વિશે વાત કરતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'આજનો માણસ પોતાના દિવસનો લગભગ ૮-૧૨ કલાકનો સમય કમ્પ્યુટર અને લૅપટૉપ પાછળ કાઢતો હોય છે. આ સમયમાં સતત તેની ગરદન ઝૂકેલી રહે છે. ખાસ કરીને ફોન જે વધુ સમય વાપરતા હોય તેમને આ પ્રૉબ્લેમ વધુ થાય છે. એક વ્યક્તિ સામાન્ય રીતે ઊભી છે તો તે સીધી ગરદન રાખીને ઊભી રહેશે. જો તે મોબાઇલમાં લાગેલી હશે તો ભલે તે ૩ કલાક પણ ઊભી રહે તેની ગરદન તો ઝૂકેલી જ રહેવાની. તમે જો ડેસ્કટૉપ વાપરતા હો તો વધુ સારું, પરંતુ લૅપટૉપ પર ૮-૧૦ કલાક કામ કરો તો પ્રૉબ્લેમ રહેવાનો, કારણ કે લૅપટૉપનું કીર્બોડ એની સાથે જોડાયેલું હોવાને કારણે એને આઇ-લેવલ પર ગોઠવવું મુશ્કેલ છે. આમ આપણે દિવસનો કેટલો મોટો સમય આગળ ઝૂકેલી ગરદન સાથે વિતાવીએ છીએ તો ગરદન પર ભાર તો આવવાનો જ છે. વળી એટલો જ સમય જો આપણે પાછળની તરફ ગરદન ઝુકાવતા હોઈએ તો વાંધો ન આવે, પરંતુ એવું થતું નથી. આ સિવાય આપણે ટટ્ટાર બેસતા નથી. સૂવામાં જો તકિયો વધુ જાડો કે વધુ પાતળો હોય તો પણ આ તકલીફ થઈ શકે છે.'


બેઠાડુ જીવન અને શરીરનો બાંધો
પૉશ્ચર ઘણા લોકોનાં ખરાબ હોય છે, પરંતુ બધા લોકોને યુવાન વયે સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ નથી થઈ જતો; એવું કેમ? કેમ અમુક લોકોને જ આવું થાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'અમુક લોકોના શરીરનો બાંધો નબળો હોય છે. તેમનાં સ્નાયુઓ અને હાડકાં બીજા લોકોના પ્રમાણમાં નબળાં જ હોય છે. એનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે પ્રમુખ તેમનો બાંધો જ નબળો છે અને નાનપણથી તેમણે સશક્ત બનવા માટે કંઈ કર્યું નથી. સ્પોટ્ર્સ, કસરત અને ખંતીલું જીવન તમારાં હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓને મજબૂત બનાવે છે. એટલે જરૂરી છે કે બાળકોને પહેલેથી એની આદત પડે. વળી નાનપણમાં કરી લીધું અને પછી હવે યુવાનીમાં એની જરૂર નથી એવું માનનારા લોકો પણ ભૂલ કરે છે. જે લોકો પોતાના સ્નાયુઓને સશક્ત રાખવા માગતા હોય તેમણે બેઠાડુ જીવનનો ત્યાગ કરવો જ પડે. જો તમારા કામનો પ્રકાર બેઠાડુ હોય તો પણ દરરોજ એક કલાક તમારે તમારા શરીરને આપવો અનિવાર્ય છે. જો ડોક અને પીઠના સ્નાયુઓ નબળા હોય તો નાની ઉંમરમાં આ રોગ આવવાની પૂરી શક્યતા છે.'


સ્ટ્રેસ
આપણે કોઈ પણ જાતનું જે માનસિક કે શારીરિક સ્ટ્રેસ લઈએ છીએ એનો ભાર હંમેશાં આપણા ખભા પર જ આવે છે. ખાસ કરીને માનસિક સ્ટ્રેસનો ભાર. નાનપણથી જ જે બાળકોએ વધુ સ્ટ્રેસફુલ લાઇફ જોઈ હોય એ બાળકોનાં પૉશ્ચર જોઈને સમજી શકાય છે કે તેમને કેટલું માનસિક સ્ટ્રેસ છે. આ વાતને એક ઉદાહરણ સાથે સમજાવતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'જ્યારે ક્રિકેટ મૅચમાં ટૉસ ઉછાળે ત્યારે બન્ને કૅપ્ટનનાં પૉશ્ચર જોઈને સમજી શકાય છે કે કયો કૅપ્ટન ટૉસ જીતી ગયો અને કોણ હારી ગયો. જે કૅપ્ટન ટૉસ હારી જાય કે તરત જ દેખાઈ શકે છે કે તેના ખભા ઝૂકી ગયા છે. આમ જે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી હોય તેના સર્વાઇકલ એટલે કે ગળું, પીઠ અને ખભાના સ્નાયુઓ પર લોડ આવવાનો જ છે અને એ લોડ સતત રહે ત્યારે એ પ્રૉબ્લેમ કરવાનો જ છે. આજકાલ સ્ટ્રેસનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે એ પણ એક મહત્વનું કારણ છે કે નાની ઉંમરે લોકોને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ થાય છે.'


ટ્રાવેલિંગ
પહેલાંના લોકો કરતાં આજે લોકો વધુ ટ્રાવેલિંગ કરે છે. જરૂરી નથી કે દરેક વ્યક્તિનું ટ્રાન્સપોર્ટ ખૂબ સારી ક્વૉલિટીનું હોય. વળી રોડની કન્ડિશન હંમેશાં સારી જ મળે એ તો શક્ય જ નથી હોતું. આ બાબતે વાત કરતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'ટ્રાવેલિંગમાં ખાસ કરીને ટૂ-વ્હીલર કે રિક્ષામાં ટ્રાવેલ કરતા લોકોને રસ્તામાં ઘણા જર્ક લાગે છે અને આ જર્ક સીધા તેમના ગળાને અસર કરે છે. આ પ્રકારનું ટ્રાવેલિંગ જે સતત વધુ કલાકો માટે કરતા હોય તેમને આ રોગ થવાની પૂરી શક્યતા છે. આ સિવાય બસમાં પણ જે લોકો ઊભા-ઊભા ટ્રાવેલ કરતા હોય છે તેમને પણ ખૂબ જર્ક લાગે છે, કારણ કે વારંવાર બ્રેક લાગે ત્યારે બૅલૅન્સ રાખવું અઘરું પડી જાય છે.'


સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ એટલે શું?
આપણી કરોડરજ્જુમાં ૩૧ મણકા હોય છે અને એ મણકાઓ વચ્ચે ૨૩ જેટલી ગાદી છે. હવે જ્યારે ગરદનની અંદર રહેલા મણકા-ગાદી ઉપર કોઈ પણ જાતની અસર થાય ત્યારે એને સર્વાઇકલ પ્રૉબ્લેમ કહે છે. જ્યારે આ મણકા ઘસાવા લાગે ત્યારે એને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ કહે છે જે મોટા ભાગે ઉંમરને કારણે થાય છે, પરંતુ આજકાલ યુવાનોમાં પણ જોવા મળી રહ્યું છે.


ખબર કેમ પડે? : આ રોગની તીવ્રતા જેવી હોય એ પ્રમાણે ચિહ્નો હોઈ શકે છે. સામાન્ય રીતે ડોક જકડાઈ જાય, પીઠમાં દુખાવો હોય, ઉપરનો ભાગ એટલો સ્ટિફ થઈ જાય કે ચારે દિશામાં એની મૂવમેન્ટ શક્ય ન બને. જ્યારે આ પ્રૉબ્લેમ વધી જાય ત્યારે એ અંદરની કોઈ નસોને દબાવે છે, જેને લીધે હાથ કે પગ પર અસર થઈ શકે છે. જો એ કોઈ એવી નસને દબાવે તો હાથ લકવાગ્રસ્ત પણ થઈ શકે છે. આ પરિસ્થિતિ એક ઇમર્જન્સી છે જેમાં તરત જ હૉસ્પિટલ ભાગવું પડે છે અને ઑપરેશન થઈ શકે છે.


શું કરવું? : જો આ પ્રૉબ્લેમ યુવાન વયે ચાલુ થયો હોય તો વ્યક્તિએ એને ગંભીરતાથી લેવો જરૂરી છે. જો તેનાં હાડકાં ૩૦-૩૫ વર્ષની ઉંમરથી ઘસવા લાગે તો ૬૦-૭૦ વર્ષે તેની હાલત શું થઈ શકે એની કલ્પના મુશ્કેલ છે. મહત્વનું છે કે આવી વ્યક્તિઓ કયા કારણસર તેમને આ તકલીફ થઈ છે એ સમજે અને એને દૂર કરવાનો પ્રયત્ન કરે. સાથે-સાથે ફિઝિયોથેરપી ખૂબ જ મહત્વનો ભાગ છે. આ રોગમાં વ્યક્તિના સ્નાયુઓને સશક્ત કરવાનું કામ એક્સરસાઇઝ કરે છે, જેને કારણે હાડકાં ઘસાવાની ગતિને મંદ પાડી શકાય.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsJgf%2BWT7D73rBc6xThb4%3DfzCknNKVu0XEsLFG-4u%3DxJg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ક્યા સે ક્યા હ ો ગયા ( અનિલ અં બાણી)... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ક્યા સે ક્યા હો ગયા (અનિલ અંબાણી)!

સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા

 

 

amdavadis4ever@yahoogroups.com

મેંનાની ઉંમરે જ નિર્ણય લઇ લીધો હતો કે મોટો થઇને હું ગ્રેટ બિઝનેસમેન બનીશ. અલબત્ત, પપ્પા હતા ત્યારે પણ હું બિઝનેસમેન હતો જ, પરંતુ ત્યારે પપ્પાની કંપનીઓ માટે કામ કરતો હતો. મારી પોતાની એવી કોઇ ઓળખ નહોતી. એ સમયે પણ હું ઘણી જવાબદારીઓ સ્વતંત્ર રીતે સંભાળતો હતો, છતાં લોકો એમ જ માનતા હતા કે આ તો ધીરુભાઇની છત્રછાયા હેઠળ જ બધું ચાલે છે. હું બધા કરતાં વધુ સ્માર્ટ છું એની ત્યારે કોઇને ખબર નહોતી.

પપ્પાના અવસાન પછી મને મારી પોતાની ઓળખ ઊભી કરવાની એક તક મળી, પરંતુ મોટાભાઇ મને મારી પોતાની ઓળખ ઊભી કરવાની ફેવરમાં નહોતા. એમની ઇચ્છા હતી કે હું એમની છત્રછાયા હેઠળ જ જિંદગીભર કામ કરતો રહું. મને એ મંજૂર નહોતું એટલે મેં કજિયો કર્યો. મમ્મીને મારા પર બહુ લાગણી એટલે એમણે મોટાભાઇને સમજાવ્યા અને છેવટે મને મારા ભાગની કંપનીઓ મળી ગઇ. મારા ગૃપની કંપનીઓ રિલાયન્સ એડીએ ગૃપ તરીકે ઓળખાવા લાગી. હવે મારા માટે એ વાત પુરવાર કરવાનો સમય આવી ગયો કે હું બધા કરતાં વધુ સ્માર્ટ છું.

મારી બિઝનેસ સૂઝ સાવ અનોખી છે. મેં મુંબઇની કે.સી. કોલેજમાં બીએસસી કર્યું અને પછી પેન્સિલવેલિયા યુનિવસિટીમાંની વ્હોટર્ટન સ્કૂલમાંથી એમબીએ કર્યું. આ બધુ ફોર્મલ એજ્યુકેશન તો મેં ફક્ત જાણકારી માટે લીધું. મૂળ તો મારે મારી અસલી સૂઝ પ્રમાણે જ જીવનમાં આગળ વધવાનું હતું. હું બધા કરતાં વધુ સ્માર્ટ છું એ દુનિયાને દેખાડી દેવાનું હતું. પપ્પા હતા ત્યારે મને બેસ્ટ બિઝનેસમેન તરીકેને અનેક એવૉર્ડ્સ મળ્યા હતા. જેમ કે બિઝનેસ ઇન્ડિયાએ ૧૯૯૭નો બિઝનેસમેન ઓફ ધ યરનો એવૉર્ડ મને આપ્યો હતો. આ સિવાયનાં પણ અનેક સન્માનો મને ત્યારે પ્રાપ્ત થયા હતા, પરંતુ મારી ઇચ્છા સ્વતંત્ર રીતે સન્માન પામવાની હતી. જીવનમાં આગળ વધવા માટે મારે ખૂબ મહેનત કરવાની હતી અને બીજા અનેક બિઝનસ જૂથો સાથે કમ્પિટિશન કરવાની હતી. મારા મોટાભાઇ સાથે પણ કદાચ કમ્પિટિશન કરવી પડે એવી શક્યતા હતી. એ વિચારથી મને સહેજ દુ:ખ થયું હતું, પરંતુ પછી વિચાર્યું કે યુદ્ધ અને બિઝનેસમાં તો બધુ ચાલે.

બિઝનેસ કરવાની મારી સ્ટ્રેટજી અનોખી છે. પપ્પાએ ઘણું શીખવ્યું હતું એ તો મને યાદ હતું જ. એ ઉપરાંત મારી પોતાની આવડત અને સૂઝને પણ હું ખૂબ મહત્ત્વ આપતો. હકીકતમાં મારા મનમાં જે વિચાર સૂઝે એને હું હંમેશાં વધુ મહત્ત્વ આપતો, કારણ કે હું મારી જાતને બધા કરતાં વધુ સ્માર્ટ સમજતો હતો. ૨૦૦૮માં મારી કંપની રિલાયન્સ પાવરનો આઇપીઓ જે ઝડપથી સબસ્ક્રાઇબ થઇ ગયો એ એક વિક્રમ છે. આ સફળતાને લીધે મારો આત્મવિશ્ર્વાસ ખૂબ વધી ગયો અને હું વધુ સાહસિક બન્યો. એક તરફ મોટાભાઇ પરંપરાગત રીતે પોતાની કંપનીઓને આગળ લાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે મેં ડાયનેમિક અભિગમ અપનાવ્યો અને બિઝનેસને ખૂબ ઝડપી દિશા આપી.

મેં બિઝનેસ માટેના નવાં નવાં ક્ષેત્રો અજમાવ્યા. ફિલ્મ પ્રોસેસિંગ, પ્રોડક્શન, એક્ઝિબિશન અને ડિજિટલ સિનેમામાં કાર્યરત એડલેબ કંપનીના મેજોરિટી સ્ટેક્સ અક્વાયર કરીને ૨૦૦૮માં મેં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું. ૨૦૦૯માં કંપનીનું નામ બદલીને રિલાયન્સ મીડિયા વર્કસ કર્યું. એ જ સમય દરમિયાન સ્ટીવન સ્પીલબર્ગની કંપની ડ્રીમવર્કસ સાથે

જોઇન્ટ વેન્ચર કરીને વૈશ્ર્વિક તખ્તે આગેકૂચ કરી. આ કંપની હેઠળ હોલીવૂડની અનેક ફિલ્મો પ્રોડ્યુસ કરી.

હજારો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથેના મોટા મોટા બિઝનેસ સાહસોને લીધે મારી કંપનીનું નામ બહુ મોટું થઇ ગયું, પરંતુ હકીકતમાં મારી કંપનીઓ કેવો પ્રોગ્રેસ કરી રહી છે અથવા કેટલી કમાણી કરી રહી છે એનો પાકો અંદાજ મેળવવાનું ત્યારે મુશ્કેલ હતું. બીજું, હું કોઇ એક ક્ષેત્ર સાથે સંકળાયેલો નહોતો, અનેક ક્ષેત્રોમાં મેં ઝુકાવ્યું હતું અને નવા નવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા.

૨૦૧૪માં જાણે અચાનક મારું મીઠું સપનું તૂટી અને દુ:સ્વપ્ન શરૂ થયું. રિયલાન્યસ મીડિયા વર્ક્સની હાલત ખરાબ થઇ ગઇ. કંપની પરનું દેવું ઓછું કરવા માટે અનેક મલ્ટિપ્લેક્સ સ્ક્રીન્સ કેરળની કાર્નિવાલ ફિલ્મ્સ્ કંપનીને ૭૦૦ કરોડ રૂપિયામાં વેચી દેવા પડ્યા. ૨૦૧૭ સુધીમાં રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રા બંને કંપનીઓ નુકસાનીમાં આવી ગઇ. રિલાયન્સ કેપિટલ સિવાયની મારી મોટા ભાગની કંપનીઓ પર દેવું ચડવા લાગ્યું.

આ બધી નિષ્ફળતાઓથી બચવા મેં સાવ અલગ ક્ષેત્રમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું અને ડિફેન્સ ક્ષેત્રમાં ઝુકાવ્યું. આ ક્ષેત્રમાં મને પૂરતો સપોર્ટ મળી રહેશે એની પણ ખાતરી હતી, પરંતુ રફાલે બાબતે જે વિવાદ થઇ રહ્યો છે એના લીધે હવે આ ક્ષેત્રમાં પણ આગળ મુશ્કેલી દેખાય છે.

મને છેલ્લામાં છેલ્લો ઝટકો લાગ્યો છે એરિક્શન કંપની સાથેની તકરાર અને એ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી. સુપ્રીમ કોર્ટે મને એક મહિનાની અંદર એરિક્શન કંપનીને ૪૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવાનું કહ્યું છે અને એમ નહીં બને તો જેલમાં મોકલવાની ચેતવણી આપી છે. આ ચુકાદાથી હું ખરેખર હચમચી ગયો છું. બિઝનેસની નિષ્ફળતા અને માથાં પરનું દેવું તો સમજ્યા, એ બિઝનેસનો એક હિસ્સો છે, પરંતુ જે રીતે મારી આબરૂના કાંકરા થયા છે એ અસહ્ય છે.

આજે મને લાગે છે કે પપ્પાનું નામ મારા કારણે ખરાબ થયું છે. અમારા પરિવારની ઇજ્જતને પર મેં જ નુકસાન પહોંચાડ્યું છે. એકાન્તમાં બેસીને વિચારું છું કે આવું બધુ કેવી રીતે બની ગયું? શા માટે હું આવી તકલીફમાં આવી ગયો? મારી જાત સાથે પૂરી નિખાલસતા રાખીને વિચારું તો સમજાય છે કે મારા મનની અંદર ઊંડે ઊંડે મોટાભાઇ સાથે સ્પર્ધા કરવાની ઝંખના હતી. એમના કરતાં હું વધુ હોશિયાર, વધુ સ્માર્ટ છું એવું પુરવાર કરવાની તાલાવેલી હતી. કદાચ આવી હાઇવોઇમાં જ મેં કેટલાક ખોટા નિર્ણયો લીધા. મોટા વ્યાજે પૈસા ઉધાર લેવા અને ખૂબ મોંઘા દામ ચુકવીને કંપનીઓ એક્વાયર કરવાના નિર્ણયો મને બહુ મોંઘા પડ્યા. હું બહુ ઝડપથી મોટાભાઇ કરતાં આગળ નીકળી જવા માંગતો હતો અને મોટાભાઇ ધીમી, છતાં મક્કમ ગતિએ પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યા હતા. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હું માસ્ટર હોવાનું એક સમયે માનતો હતો, પરંતુ હવે એમાં મેં મહત્ત્વનું સ્થાન ગુમાવી દીધું છે. બીજી તરફ મોટાભાઇ પાસે ઇટીવી, નેટવર્ક૧૮ અને બાલાજી ટેલિફિલ્મ્સ જેવી કંપનીઓ છે. ટેલિકોમ ક્ષેત્રમાં મારું આરકોમ ખતમ થઇ ગયું છે અને મોટાભાઇનું જીઓ નંબર વન છે.

છેલ્લા કેટલાક દિવસોથી હું ખૂબ જ ઉદાસ છું અને નકારાત્મક વિચારો આવે છે. ગઇકાલે રાત્રે પપ્પા સપનામાં આવ્યા એટલે મેં ખૂબ રાહત અનુભવી. હું પપ્પા સામે રડ્યો તો પપ્પાએ મને સલાહ આપી કે મોટાભાઇ પાસે જઇને સાચા દિલથી માફી માંગ. એ તને માફ કરશે અને કદાચ તને આ મુસીબતમાંથી ઉગારી લેશે. તમે બંને ભાઇઓ સંપીને રહેશો તો જ ટકી શકશો. હવે હું સંકોચ અનુભવી રહ્યો છું. મોટાભાઇના શરણે જાઉં કે ન જાઉં?




(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os2Xhbi-89RsLt6rgWU4gR3RZEa6%3D0tuQiBmjK1_3rxZg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પાસવર્ડ પ્રોબ્લેમ : હવે વિષયમાં પાસવર્ડ પણ લખી જવા પડશે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાસવર્ડ પ્રોબ્લેમ : હવે વિષયમાં પાસવર્ડ પણ લખી જવા પડશે!
કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

 


----------------
કેનેડાની ક્રિપ્ટો કરન્સી ફર્મ ક્વાર્ડ્રિગાના સીઇઓ ગેરાલ્ટ કોટેન
અચાનક અવસાન પામ્યા અને 9.82 અબજ રૂપિયાની ડિજિટલ
કરન્સીનો પાસવર્ડ પણ સાથે લેતા ગયા. મોટી રકમ ફ્રીઝ થઈ ગઈ.
આવા બનાવો હવે વધતા જ જવાના છે.


------------
તમારા પાસવર્ડ કોને ખબર છે? પાસવર્ડ આપવામાં મોટું જોખમ
રહેલું છે. આપણી જિંદગી પણ બરબાદ થઈ શકે છે.


---------------------
પાસવર્ડ અને પિન નંબર એ દરેક વ્યક્તિની જિંદગી સાથે જોડાઈ ગયેલી એક એવી હકીકત છે જેનાથી ક્યારેય છુટકારો મળવાનો નથી. પાસવર્ડ એ આપણી છૂપી આઇડેન્ટિટી છે. પાસવર્ડ વગર આપણે આપણા સુધી જ ન પહોંચી શકીએ એવો જમાનો આવ્યો છે. ફોન ખોલવા માટે પાસવર્ડ જોઈએ છે. એ પછી તમામ કામો પાસવર્ડથી જ ચાલે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, મારી જિંદગી ખુલ્લી કિતાબ છે. આપણા બધાની જિંદગી બંધ મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ કે કમ્પ્યૂટર છે, જે પાસવર્ડ વગર ખૂલતી નથી. આપણું કમ્યુનિકેશન હિડન છે. પાસવર્ડ એ મોટા ભાગના લોકો માટે મોટી પળોજણ છે. પાસવર્ડ યાદ રહેતા નથી. સહેલા પાસવર્ડ રાખીએ તો એવો જવાબ મળે છે કે, તમારો પાસવર્ડ સ્ટ્રોંગ નથી. આલ્ફાબેટ અને નંબર સાથે સ્પેશિયલ સિમ્બોલ્સ પણ મૂકો. એ મૂક્યા પછી પણ કોઈ ગેરંટી તો હોતી જ નથી કે આપણો પાસવર્ડ કોઈ ક્રેક ન કરી શકે. હેકર્સ પાસે પાસવર્ડ ક્રેકર્સનાં સોફ્ટવેર છે, જે ગમે તેવા જટિલ પાસવર્ડ ક્રેક કરી નાખે છે.

 

પાસવર્ડ હમણાં ત્યારે ફરીથી ચર્ચામાં આવ્યો જ્યારે ભારત આવેલા કેનેડાની ક્રિસ્ટો કરન્સી ફર્મ ક્વાર્ડ્રિગાના સીઇઓ ગેરાલ્ટ કોટેન ગુજરી ગયા. ગેરાલ્ટ જયપુરમાં અનાથઆશ્રમ ખોલવાના શુભ આશયથી જયપુર આવ્યા હતા અને આંતરડાની ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામ્યા. એમની ડેડબોડી કેનેડા પહોંચી ગઈ, બધી વિધિ પતી ગઈ ત્યાં સુધી તેમના વિશે કોઈને કંઈ ખબર જ ન હતી. પાસવર્ડની વાતે તેમને માત્ર ભારતમાં જ નહીં, આખી દુનિયામાં જાણીતા કરી દીધા. અંદાજે 9.82 અબજ રૂપિયા જેટલી કરન્સી જે એકાઉન્ટમાં હતી એનો પાસવર્ડ માત્ર તેમની પાસે જ હતો. લગભગ એક લાખથી વધુ લોકોનાં નાણાં સલવાઈ ગયાં. હેકર્સની મદદ લેવાઈ છે. કદાચ એ પાસવર્ડ ક્રેક કરી આપશે. આ ઘટનાથી નવી ચર્ચાઓ શરૂ થઈ છે. શું દરેક માણસે એટલિસ્ટ એક અંગત વ્યક્તિને પાસવર્ડ આપી રાખવો જોઈએ? જોકે, એ જોખમી છે. આજના જમાનામાં કોઈનો ભરોસો કરાય એવું ક્યાં છે? પાસવર્ડ આપી દીધા પછી એ આપણને પતાવી દે તો? વાતો તો ત્યાં સુધી થઈ કે, હવે માણસ પોતાનું વિલ કરે ત્યારે તેણે પોતાના અમુક પાસવર્ડ પણ લખવા પડશે જેથી તેના વારસદારોને વાંધો ન આવે.

 

કાળાં નાણાંને સંઘરવા માટે એક સમયે સ્વિસ બેન્ક્સનું નામ મોખરે હતું. હવે નિયમો બદલાતાં કાળું નાણું સંઘરવા માટે લોકો બીજા ટેક્સ હેવન કન્ટ્રીઝ તરફ વળ્યા છે. સ્વિસ બેન્કમાં રોકેલાં નાણાંનો બધો જ વ્યવહાર કોડ નેમ અને પાસવર્ડથી જ ચાલે છે. સાચું નામ પણ હોતું નથી. નાણાં રોકનાર સિવાય કોઈને ખબર જ ન હોય કે આ માલ કોનો છે? હવે જેણે મોટી રકમ મૂકી છે એ અચાનક મરી જાય તો? સ્વિસ બેન્ક્સમાં એવા બિલિયન્સ ડોલર્સ છે જે અનક્લેઇમ્ડ છે! થોડા વર્ષ અગાઉ સ્વિસ બેન્કે જ અનક્લેઇમ્ડ એકાઉન્ટ્સ વિશે જાહેરાત કરી હતી. 3500 એકાઉન્ટ એવાં હતાં જેનું કોઈ ધણીધોરી જ નહોતું. તેમાં છ એકાઉન્ટ ઇન્ડિયન્સનાં હતાં. એ છ ખાતામાં 300 કરોડ રૂપિયા જેટલી રકમ જમા હતી. સ્વિસ બેન્ક્સ પ્રામાણિક છે. એને તો બધાં જ નાણાં દૂધે ધોઈને પાછાં આપવાં છે. પ્રોબ્લેમ એ છે કે આપવાં કોને? ત્યાં પણ વારસદારનાં નામ આપવાની પ્રથા છે, પણ કોઈ આપે તો ને! ગુજરી જાય ત્યારે કોડ નેમ અને પાસવર્ડ સાથે લેતા જાય પછી માની લેવાનું કે નાણાં ગાય ખાઈ ગઈ!

 

આપણે એવા પણ કિસ્સાઓ જોયા છે કે, કોઈ એક માણસને ઘણાં બધાં ફાઇનાન્સિયલ સિક્રેટ્સ ખબર હોય અને એ અચાનક આ દુનિયા છોડી જાય ત્યારે ઘણા સવાલો સર્જાતા હોય છે. ભારતીય જનતા પક્ષના એક સમયના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની તેની સગા ભાઈ પ્રવીણે અંગત કારણોસર ગોળી મારીને હત્યા કરી હતી. એ સમયે એવી વાતો ખૂબ ચાલી હતી કે, ભાજપના ઘણાં બધાં ફંડ્સ વિશે માત્ર તેઓ જ જાણતા હતા. એ બધા જ રાઝ તેમની સાથે જ ચાલ્યા ગયા. ભાજપના ફંડ વિશે એ જીવતા હતા ત્યારે જ તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમે પક્ષ માટે રૂપિયા ઉઘરાવો છો? એ સમયે પ્રમોદ મહાજને કહેલું કે, હું ટ્રેઝરર નથી, પણ મારા ઉદ્યોગપતિ મિત્રો પાસેથી થોડું ઘણું ફંડ મેળવું છું. આપણી આજુબાજુમાં પણ એવી ઘટનાઓ બનતી હોય છે કે, અમુક લોકો કાયમ માટે ચાલ્યા જાય પછી ખબર જ ન પડે કે આ ભાઈ કે બહેને કોને કોને રૂપિયા આપ્યા છે. માત્ર વાતોથી કે ભરોસા ઉપર ચાલતા વ્યવહારોમાં આવું થતું હોય છે. હવે પાસવર્ડ માટે એવું થાય છે કે, ક્યાં શું છે એ આપણને ખબર જ ન પડે.

 

બાય ધ વે, તમારા એકેય પાસવર્ડ કોઈને ખબર છે? હા, હોય છે. જ્યારે આપણી જિંદગીમાં એવી વ્યક્તિ હોય જેનાથી કંઈ જ છુપાવવાનું ન હોય ત્યારે તેને પાસવર્ડ આપવાની ચિંતા નથી હોતી. તમને કોઈએ એનો પાસવર્ડ આપ્યો છે ખરો? જો આપ્યો હોય તો માનજો કે તમારા ઉપર એને સૌથી વધુ ભરોસો છે. બાકી, પ્રાણની સાથે પાસવર્ડ જાય એવી ઘટનાઓ હવે વધતી જ જવાની છે. એક મિત્રએ કહ્યું કે, ગુજરી જઈએ પછી તો જે થવાનું હોય એ થાય, હવે તો જીવતેજીવ કોઈ પાસવર્ડ ક્રેક કરીને અથવા તો જેને પાસવર્ડ ખબર હોય એ આપણાં ખાતાં ખાલીખમ કરી જાય છે. બીજા મિત્રએ વળી એવી વાત કરી કે, આઇ આઇડેન્ટિફિકેશન એટલે કે આંખથી ખૂલે એ તથા ફિંગરથી ખૂલે એ ડિવાઇસ માણસ મરી જાય પછી તેની આંખથી કે ટેરવાથી ખૂલે કે નહીં? ટેક્નોલોજી વધે એમ માત્ર શક્યતાઓ જ નથી વધતી, શંકાઓ પણ વધે છે. તમારા પાસવર્ડની કેર કરજો, નહીંતર કોઈક તમારું કરી જશે.

 

 

 

પેશ-એ-ખિદમત
કૌન યાદ આયા યે મહકારેં કહાઁ સે આ ગઈ,
દશ્ત મેં ખુશબૂ કી બૌછારે કહાઁ સે આ ગઈ,
કૈસી શબ હૈ એક ઇક કરવટ પે કટ જાતા હૈ જિસ્મ,
મેરે બિસ્તર મેં તલવારેં કહાઁ સે આ ગઈ.
- જફર ગોરખપુરી
(મહકારેં-સુગંધ/દશ્ત-જંગલ/શબ-રાત)  


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuSZ1ZErPrNd6V9YBw-SxLQ2_VyfYZ1Lx-4vvemFXq_LQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઘ્રાણેન્દ્રિય વિના પંગુતા અનુભવતી લાચાર જિંદગીઓની ટ્રેજિક કોમેડી...ઘ્રાણેન્દ્રિય વિના પંગુતા અનુભવતી લાચાર જિંદગીઓની ટ્રેજિક કોમેડી...



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘ્રાણેન્દ્રિય વિના પંગુતા અનુભવતી લાચાર જિંદગીઓની ટ્રેજિક કોમેડી...
અભિમન્યુ મોદી

 

 

 


જ્યાં સુધી નાક કે કાન જેવી નાજુક ઇન્દ્રિયો બગડે નહિ ત્યાં સુધી આપણે તેની સંભાળ લેવાની દરકાર નથી કરતા. જયારે તે ન હોય ત્યારે જ તેની કદર થતી હોય છે. પંગુતા અનેક સ્વરૂપોમાં આવી શકે છે. માણસો બધા જ પ્રકારની હેન્ડિકેપ્ડ સ્થિતિ માટે તૈયાર હોય છે ખરા?


આપણને બધાને ખબર છે અને થોડી ઘણી કલ્પના પણ કરી છે કે જો આંખ ન રહે તો શું થાય. અમુક શહેરોમાં અંધજન મંડળની જેમ દેખતા માણસને આંખે પાટો બાંધીને થોડી મિનિટો પૂરતો અંધ હોવાનો તત્પૂરતો અનુભવ પણ કરાવવામાં આવે છે. હાથ-પગ ન હોય તેવા માણસોની અનન્ય સિદ્ધિઓને આપણે વિડિયોમાં કે ફિલ્મોમાં પણ જોઈએ છીએ. હેલન કેલર જેવી વ્યક્તિઓ બોલી પણ ન શકતી અને સાંભળી પણ ન શકતી. બ્રેઇલ લિપીની સાથે સાથે સાઈન લેંગ્વેજથી પણ આપણે પરિચિત છીએ. એટલે આંખ કે હાથ વિનાની જિંદગી કેટલી પડકારરૂપ બની જાય તેનાથી આપણે અજાણ નથી. કાનમાં ધાક બેસી ગઈ હોય તો આંશિક બહેરાશનો આપણને અનુભવ પણ હોય છે. પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈએ વિચાર્યું હોય છે કે સુંઘવાની ક્ષમતા જો કાયમ માટે નાશ પામશે તો? આપણું નાક કાયમ માટે નકામું બની જશે તો? સૂંઘવાની તાકાત વિના જિંદગી ઘણી કપરી થઇ જાય તેનો અંદાજો પણ આપણે લગાવી શકીએ છીએ ખરા?


શરદી-કફ વખતે અમુક કલાકો માટે સૂંઘવાની શક્તિ થોડી ક્ષીણ થઇ જાય એવું અનુભવ્યું હશે. પણ આ તો વાત છે કાયમ માટે ઘ્રાણેન્દ્રિયના મરણની. અમુક કમનસીબ લોકો સાથે એવું બને છે કે વાઈરલ ઇન્ફેકશનને કારણે કે અમુક બીજા કારણોસર તેઓ સૂંઘવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી બેસે છે. પહેલી નજરે એવું લાગે કે એ તો સારું કહેવાય, કોઈ વાસ ન આવે. પણ હકીકત એ છે કે જે વ્યક્તિઓએ ચહેરા ઉપર ફક્ત શ્ર્વાસ લેવાનું કામ કરી રહેલા શોભાના ગાંઠિયા જેવા નકામા નાક લઈને ફરવું પડે છે તેને પૂછો તો સમજાય કે ઘ્રાણેન્દ્રિય વિના રોજિંદી જિંદગી કેટલી તકલીફદાયક બની જાય છે.


સ્ટેફની ફીવર નામની એક અમેરિકન લેખક સાથે એવું થયું જે ભાગ્યે જ બીજા માણસો સાથે થતું હોય છે. ગ્રહણની રાત પછી અચાનક તેના નાકે કોઈ પણ જાતની વાસ, પછી તે સુવાસ હોય કે દુર્ગંધ, લેવાનું બંધ કરી દીધું. તે જોરજોરથી શ્ર્વાસ લઈને કંઇ પણ સૂંઘવાનો પ્રયત્ન કરે, પણ તેને કોઈ જાતની વાસ આવે જ નહિ. તેના ફેમિલી ડૉક્ટરે તેને ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટને બતાવવાનું કીધું. આશા સાથે સ્પેશિયાલિસ્ટ પાસે ગયેલી સ્ટેફની નિરાશ થઈને પાછી ફરી, કારણ કે નાક-ગળા-કાનના નિષ્ણાત ડૉક્ટરે તેને કહ્યું કે વાઇરસે તારી સૂંઘવાની શક્તિને ઓલમોસ્ટ નાબુદ કરી નાખી છે. મેડીકલ સાયન્સ પાસે આનો કોઈ જ ઈલાજ નથી. આની કોઈ દવા આવતી નથી કે ઓપરેશન કરવાથી તેમાં કોઈ ફાયદો થતો નથી. ટૂંકમાં સ્ટેફની એકલી થઇ ગઈ હતી. કોઈ તેને મદદ કરનાર હતું નહિ કારણ કે આ પ્રકારની પંગુતાનો ઈલાજ જ દુનિયામાં નથી.


નાક કામ કરતું બંધ થઇ જાય એટલે શું તકલીફો ચાલુ થાય તે સ્ટેફનીને હવે સમજાવા લાગ્યું. એક પણ ફૂડ આઈટમનો સ્વાદ ન આવે. જમવાનું ગરમ હોય કે ઠંડું, સ્ટેફની માટે સરખું. સ્વાદ થોડો ઘણો આવે પણ ફ્લેવર વિનાનો સ્વાદ વ્હાઈટ ગોલ્ડ જેવો થઇ જાય. તમને ખબર હોય કે એ સોનું છે તો પણ એની સામું જોતા એ ચાંદી જ લાગે. દહીંથી લઇને બ્રેડ સુધી, ચીઝથી લઇને શાકભાજી સુધી એ લુખ્ખો ડૂચો ચાવતી હોય એવું જ લાગે. વધુમાં, નાકની શક્તિ ગઈ એટલે પહેલા કરતાં એ વધુ વખત પોતાના કપડાં બદલવા લાગી. દિવસમાં બે વખત નાહવા જવા લાગી. કબાટમાં રહેલા પરફ્યુમનો ઉપયોગ વધુ કરવા લાગી. તેણે જાગૃતપણે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડી, પણ એ દુનિયા માટે. પોતાને તો તેનાથી કઈ ફરક જ પડતો ન હતો.


સ્ટેફની ફીવર માટે હવે બધા ફૂલો સરખા હતાં. બધા પરફ્યુમ પાણી સમાન હતા. તેને ગટરની વચ્ચે આંખ બંધ કરીને ઊભી રાખી દો તો તે બે કલાક પણ ત્યાં રહી શકે. ખાસ તો તેનું વજન ઘટવા લાગ્યું, કારણ કે તેની ભૂખ મરવા લાગી હતી. લુખ્ખા કોળિયા માણસ કેટલા ખાય? બત્રીસ જાતના પકવાન પણ સ્વાદવિહીન થઇ ગયા હતા. દહીં ખાવું હોય તો પણ તેના ટેક્સચરને અનુભવવું પડે. ખાવા-પીવામાં સંતોષ ન થાય એટલે તેને એન્હેડોનિઆની અસર શરૂ થઇ ગઈ. એન્હેડોનિઆ એટલે ખુશ થવાની ક્ષમતાનો અભાવ. એવી બીમારી ધરાવતા માણસને તમે ગમે તે આપો, તે ખુશ જ ન થાય. લેખક સ્ટેફની 'નેરેટીવલી' માટે લખેલા એક નિબંધમાં કહે છે કે મારા માટે સેક્સ અને કોફી બધું નીરસ અને કંટાળાજનક થઇ ગયું છે. ફેરોમોન્સ તો પ્રેમનું અવિભાજ્ય અંગ ગણાય. પ્રેમસંબંધની મજા નાક વિના આવે?


ડૉક્ટરોએ તેને એન્ટીબાયોટિક્સ આપી. સ્ટેરોઈડ પ્રિસ્ક્રાઈબ કરી. શ્ર્વસનતંત્રના સ્નાયુઓને રીલેક્સ કરે એવી દવાઓ આપી. એન્ટી-એન્કઝાયટી કે સીઝર માટેની દવાઓના પ્રયોગો પણ ચાલુ થયા. પરંતુ તેને લીધે સૂંઘવાની શક્તિ બાબતે કોઈ ફરક ન પડ્યો. હા, ફરક પડ્યો પણ એ નકારાત્મક રીતે. સૂંઘવાની શક્તિ નાબૂદ થવાની બીમારીને એન્સોમીયા કહે છે. એન્સોમીયામાંથી આપણે ઉપર વાત કરી એમ આનંદિત થવાનો અભાવ એટલે કે એન્હેડોનિયાની અસર શરૂ થાય. તેમાંથી હિપ્સોમિઆ અને છેલ્લે પેરોસ્મિયા થાય. એટલે કે સાવ ઓછી ગંધ આવે અને પછી સુગંધ હોવા છતાં મગજને ખરાબ ગંધ મહેસૂસ થાય. ટૂંકમાં સ્થિતિ વધુને વધુ વણસતી જાય.


પછી સ્ટેફનીએ ઓફ્લેકટરી ટ્રીટમેન્ટ ચાલુ કરી. જેમાં રોજ લવિંગ, નીલગીરી, ગુલાબ અને લીંબુની સુગંધ લેવાની. જુદા જુદા મસાલાઓ સૂંઘવાના. આ ટ્રીટમેન્ટમાં પરીક્ષા પણ આવે. જેમાં તમને આપવામાં આવેલો પદાર્થ સૂંઘીને પેપરમાં ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો હોય. આ ટ્રીટમેન્ટ પછી સ્ટેફનીએ તે એક્ઝામમાં ચાલીસમાંથી વીસ માર્ક હાંસિલ કર્યા, પણ તેનું નાક એકદમ સરખું નથી થયું. લોકો તેને પૂછે છે કે એવું કહેવાય કે એક ઇન્દ્રિય બંધ થાય તો બીજી ઇન્દ્રિયો પાવરફુલ થઇ જાય તો નાકની શક્તિ ગુમાવ્યા પછી બીજી ઇન્દ્રિયો વધુ શાર્પ બની કે નહિ? સ્ટેફનીનો સ્પષ્ટ જવાબ છે: ના. એની જિંદગી વધુને વધુ પડકારરૂપ બનતી ગઈ.


1985માં જર્મન લેખક પેટ્રિક સસ્કિંદની નોવેલ આવેલી જેનું નામ હતું 'પરફ્યુમ'. તેની ઉપરથી 2006માં એ જ નામની ફિલ્મ પણ આવેલી. તે વાર્તાનો મુખ્ય નાયક (કે ખલનાયક) એટલી તીવ્રતાથી ગંધ મેળવે છે ને કે પાંચ કિલોમીટર દૂર રહેલી વસ્તુની વાસ પણ જાણી શકે. છેલ્લે તે ખૂની બની જાય છે. વાત એ છે કે જ્યાં સુધી નાક કે કાન જેવી નાજુક ઇન્દ્રિયો બગડે નહિ ત્યાં સુધી આપણે તેની સંભાળ લેવાની દરકાર નથી કરતાં. જયારે તે ન હોય ત્યારે જ તેની કદર થતી હોય છે. પંગુતા અનેક સ્વરૂપોમાં આવી શકે છે. માણસો બધા જ પ્રકારની હેન્ડિકેપ્ડ સ્થિતિ માટે તૈયાર હોય છે ખરા?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvbNHwD6_B5oYU_cOiu%2BOzERFio_DgmMn%2B6JE6YD-ME%3DA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ These YouTube Shortcuts Will Make Watching Videos Better...

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os83yngDQMHa3T2wo7n1GMr4v4viUgjdBwNo_88TKWhRQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ Here Are 7 Very Clear Signs of Hoarding to Look Out For...

 

We're all guilty of keeping things we don't use and allowing them to accumulate in piles on kitchen counters, nightstands, and desks, but hoarding is when the accumulation gets out of control and the person suffering from it has a distinct inability (or lack of will) to do anything about it. Wonder if you're a hoarder? Here are 7 clear signs of hoarding:

hoarders
hoarders

Messy people tend to have various piles of mess scattered liberally throughout their homes, but they usually know where important things are, and occasionally sort through their piles before they let things get out of control. When it comes to a hoarder's clutter, there's no sense to its organization. What's more is that the ever-increasing amount of clutter in a hoarder's home makes sorting through it an almost insurmountable task.

hoarders
hoarders
hoarders
hoarders
hoarders


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OukS5A5HzwsUhF69S%3DHE%2BbfuPxrvwFCE5%3DWLhjfHoXauw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.