Sunday, 22 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રાણીની વાવ અનેક પ્રશ્નો સર્જે છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાણીની વાવ અનેક પ્રશ્નો સર્જે છે!
ભીતરની વાતઃ નારાયણ જોશી

વાવ વિષે માહિતી આપતી પુરાતત્વ વિભાગની તકતી કહે છે કે વાવનું નિર્માણ ૧૦૨૨થી ૧૦૬૩ દરમિયાન મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવે કરાવ્યું  હતું. સદીઓ સુધી આ વાવ ધરતીમાં દફન રહી, કાળાંતરે સરસ્વતિ નદીના પુરના કારણે તથા લોકોની ઉપેક્ષાના કારણે વાવના બાંધકામ તથા શિલ્પોને ઘણું નુકસાન પહોંચ્યું છે. ૧૯૬૦ના દાયકા સુધી કોઈને આવી અલંકૃત પ્રતિમાઓ ધરાવતી વાવ વિષે માહિતી પણ નહોતી. ૧૯૫૮માં ભારતીય પુરાતત્ત્વ વિભાગે અહીં ખોદકામ  શરૂ કર્યું હતું. સતત ઉત્ખનન કરવાથી ધીમે ધીમે આ વાવ એના આજના સ્વરૂપે ઉજાગર થઈ. ઘણા ભાગ એની મૂળ જગ્યાએથી અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. એમને ફરીથી ગોઠવીને મૂળ રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ માહિતી સૌથી પહેલો પ્રશ્ન તો એ ઊભો કરે છે કે રાજા ભીમદેવે બનાવડાવેલી વાવનું નામ રાણીની વાવ શા માટે પડયું હશે? બીજું, સરસ્વતિ નદીના પુરથી વાવને ક્ષતિ થયાની વાત છે, તો વાવ તો સદીઓ સુધી રેતીમાં દટાયેલી હતી, એને પુરના પાણીથી શું ક્ષતિ થઈ હશે? એક પ્રશ્ન એ પણ છે કે આ વાવ જો ૧૦૦૦ પછી બની હોય તો એમાં કૃષ્ણાવતારની પ્રતિમાઓ અચૂક હોવી જોઈએ. વાવમાં કૃષ્ણાવતારની એકપણ પ્રતિમા જોવા મળતી નથી. તો શું વાવનું નિર્માણ થયું ત્યારે હજી કૃષ્ણાવતાર થયો જ નહોતો? કે પછી મૂળરાજ સોલંકી અને તેમના વંશજો કૃષ્ણાવતારને માનતા નહોતા? ગુજરાત કૃષ્ણની કર્મભુમિ બન્યા પછી આ વાત શક્ય નથી લાગતી.

 

વધુ એક સવાલ એ છે કે પુરાતત્ત્વ વિભાગને વાવના ખનન પછી અસ્તવ્યસ્ત થઈ ગયેલી, સ્થાનભ્રષ્ટ થયેલી પ્રતિમાઓને તેના મૂળ સ્થાને ગોઠવવામાં ૨૦ વર્ષ લાગી ગયા હતા. તો આવી આબેહૂબ પ્રતિમાઓ સાથેની સાત માળની વાવ માત્ર ૪૧ વર્ષમાં શી રીતે સાકાર થઈ હશે? દરેક મુખ્ય પ્રતિમાની સાથે ઓછામાં ઓછી આઠ પ્રતિમાઓ આકાર પામેલી જોવા મળે છે. સાથે જ દરેક પરસાળમાં પ્રતિમાઓના સ્થાનની ઉપર અને નીચેની હારમાળાની અલંકારિક કોતરણી પણ અપાર નર-નારી તથા પશુઓની આકૃતિઓ ધરાવે છે. આવી શ્રેષ્ઠ કલાકૃતિઓ આટલી બધી વિરાટ સંખ્યામાં રચવા માટે માત્ર ૪૧ વર્ષનો સમય વીત્યો હોય એ માન્યામાં આવતો નથી. પુરાતત્ત્વવિદ્ નિષ્ણાતોએ, ઈતિહાસકારો અને આધ્યાત્મિક નિષ્ણાતોની સાથે વાવની રચનાનો કાળ અને તે રેતીમાં દટાઈ જવાનું રહસ્ય ફરીથી ઉજાગર કરવાની જરૂર વર્તાય છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvrqVxDNySbLh9r_C4HShJRw0iGQ_SFWViVU0A7o4rHPA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment